![]()
Bihar Assembly Election-2025 : બિહારમાં વિધાનસભા ચૂંટણીની ધમધોકાટ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. NDAમાં બેઠક વહેંચણીનો કાર્યક્રમ પુરો થઈ ગયો છે, ત્યારે મહાગઠબંધનમાં હજુ પણ બેઠક વહેંચણીનો મુદ્દે ઉકેલાયો નથી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે મહાગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ચૂંટણી લડવાની અને કંઈ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે, તેની જાહેરાત કરી દીધી છે.
તેજસ્વી રાધોપુરથી લડશે ચૂંટણી
અહેવાલો મુજબ, તેજસ્વી યાદવે ફરી એકવાર પોતાની પરંપરાગત બેઠક રાઘોપુરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે અને તેઓ 15 ઓક્ટોબરે આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે.
મહાગઠબંધનમાં સીટ શેરિંગને લઈને આંતરિક ડખાં
બેઠક વહેંચણીની વાત કરીએ તો મહાગઠબંધનમાં હજુ પણ બેઠકોને લઈને આંતરિક ઘર્ષણ ચાલી રહ્યું છે. તેની મૂળ કારણ એ છે કે, આરજેડીને રાજ્યની 243 બેઠકોમાંથી 140 બેઠકો પર ચૂંટણી લડવી છે, જેના કારણે સાથી પક્ષો આરજેડીની માંગથી નારાજ થયા છે. બીજીતરફ તેજસ્વીએ દાવો કર્યો છે કે બધું બરાબર છે અને આગામી એક-બે દિવસમાં સીટ વહેંચણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.
આ પણ વાંચો : NDAમાં બેઠક મુદ્દે કોકડું ગૂંચવાયું! માંઝી અને કુશવાહાના કારણે પેચ ફસાતાં ઉમેદવારોની જાહેરાત મોકૂફ
તેજસ્વી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કરશે શક્તિ પ્રદર્શન
તેજસ્વી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કરવાના હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને મોટી સંખ્યામાં રાઘોપુર પહોંચવા માટે અપીલ કરવામાં આવી છે. આરજેડી માટે રાધોપુર બેઠક એટલા માટે મહત્ત્વની છે, કારણ કે, આ બેઠક યાદવ પરિવારનો પરંપરાગત ગઢ ગણાય છે.
NDAનો સીટ-શેરિંગ ફોર્મ્યુલા
NDAએ રવિવારે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ વ્યવસ્થા હેઠળ ભાજપ અને JD(U) 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 બેઠકો પર ચૂંટણી લડશે. રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) 6-6 બેઠકો પર ચૂંટણી લડશે. 243 વિધાનસભા બેઠકો માટે 6 નવેમ્બરે અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે.
આ પણ વાંચો : NDA ને દિગ્ગજ નેતાની ગઠબંધન તોડવા ધમકી, કહ્યું- બિહારમાં 4-5 બેઠક આપો નહીંતર..










