![]()
મુંબઈ : ૩૧મી ઓકટોબરના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૩૦ ટકા જોવા મળી છે જે ૧૭ ઓકટોબરના પખવાડિયામાં ૧૧.૫૦ ટકા રહી હતી, એમ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. જીએસટીમાં કપાત તથા નીચા વ્યાજ દર ધિરાણ ઉપાડમાં વધારો કરાવશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.
ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ નીચી રહી છે. થાપણ વૃદ્ધિ ૯.૭૦ ટકા રહી છે જે ૧૭ ઓકટોબરના પખવાડિયામાં ૯.૫૦ ટકા જોવા મળી હતી.
રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે ધિરાણનો એકંદર આંક રૂપિયા ૧૯૩.૯૦ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે થાપણનો આંક રૂપિયા ૨૪૧.૭૦ ટ્રિલિયન જોવા મળ્યો હતો.
ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા, આવક વેરામાં રાહત તથા નીચા વ્યાજ દરો બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ ઉપાડમાં વધારો કરાવશે તેવી બેન્કિંગ ક્ષેત્રના વર્તુળો અપેક્ષા રાખી રહ્યા છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ધિરાણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૧૦.૪૦ ટકા રહી છે જ્યારે થાપણ વૃદ્ધિનો આંક ૯.૫૦ ટકા રહ્યો છે.










