![]()
અમદાવાદ,રવિવાર
શહેરના માનસી સર્કલ પાસે આવેલા સેેેટેલાઇટ સેન્ટરમાં રહેતી મહિલાને કુતરાઓને ખવડાવવા બાબતે સોસાયટીની સ્થાનિક મહિલાઓ દ્વારા લાકડીથી માર મારીને ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઇજાગ્રસ્ત મહિલાએ આરોપ મુક્યો છે કે તેમના એપાર્ટમેન્ટમાં રહેતા રૂતુલ દેસાઇ નામના ભાજપના સ્થાનિક અગ્રણીએ એપાર્ટમેન્ટની મહિલાઓની ઉશ્કેરણી કરીને હુમલો કરાવ્યો હતો. જે અનુસંધાનમાં વસ્ત્રાપુર પોલીસે રાજકીય દબાણમાં આવીને કોઇ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ ઇજાગ્રસ્ત મહિલા દ્વારા કરવામાં આવ્યો છે.
શહેરના માનસી સર્કલ પાસે આવેલા સેટેલાઇટ સેન્ટરમાં રહેતા મધુબેન ખેર તેમના એપાર્ટમેન્ટમાં રહેતા કુતરાઓને નિયમિત રીતે ખવડાવે છે. તેમની સોસાયટીમાં રહેતા તમામ કુતરાઓને સેનેટાઇઝ કરાયા હતા. પરંતુ, બે કુતરાને સેનેટાઇઝ કરવાના બાકી હતી.જેમાં તે એપાર્ટમેન્ટમાં આવેલા ચોક્કસ સ્થળે ખવડાવતા હતા. પરંતુ, સ્થાનિક લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવતો હતો. ગત ૨૨મી ઓગસ્ટના રોજ કુતરાએ એક સિનિયર સીઝીટનને કરડતા કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાનની એક વાન કુતરાને લેવા માટે આવી હતી. આ બાબતની જાણ મધુબેેનને થતા તેમણે જે શ્વાને બાઇટ કરી હતી. તેની ઓળખ કરાવીને લઇ જવા દીધો હતો. પરંતુ, આ સમયે હાજર સ્થાનિક લોકો અને ત્યાં રહેતા ભાજપના અગ્રણી રૂતુલ દેસાઇએ દરમિયાનગીરી કરી હતી. જેમાં સ્થાનિક મહિલાઓને ઉશ્કેરણી કરીને મધુબેન પર લાકડીઓ વડે હુમલો કરાવ્યો હતો. જેમાં તેમને ઇજા પહોંચી હતી. આ દરમિયાન મામલો વસ્ત્રાપુર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં મધુબેનને ઇજા થઇ હોવાથી પોલીસે તેમને સારવાર લેવા માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા અને પરત આવીને ફરિયાદ નોંધવા માટેની ખાતરી આપી હતી. પરંતુ, રૂતુલ દેસાઇએ પોલીસ પર રાજકીય દબાણ ઉભુ કરતા મહિલાને ઇજા પહોંચી હોવા છતાંય, કોઇ ફરિયાદ નોંધી નહોતી.










