![]()
– રસ્તા પર પથ્થર હટાવવા મામલે
– હુમલામાં ઇજાગ્રસ્ત શખ્સોને સાયલા અને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાય
સાયલા : મઢાદ ગામે ચાલવાના રસ્તા પર પથ્થર હટાવવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા એક શખ્સે ધારિયા વડે બે વ્યક્તિ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
મઢાદ ગામના પ્રવીણ રામભાઈ ગઢવી લોકોના ચાલવાના રસ્તા પર મોટી સંખ્યામાં પથ્થરો નાખેલા હોય જે નહીં નાખવા બાબતે રણજીતભાઈ મસાણી દ્વારા ઠપકો આપતા પ્રવીણ ઉશ્કેરાઈ જઈ મારામારી તેમજ ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત રણજીતભાઈને પ્રાથમિક સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ જ્યારે પૃથ્વીભાઈ મસાણીને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રણજીતભાઈને હાથે ઇજા થતા ચાર જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. આ બાબતની સાયલા હોસ્પિટલ દ્વારા જોરાવરનગર પોલીસને જાણ કરતા જોરાવનગર પોલીસ સ્ટેશનના પી.આઈ ગોહિલ પોલીસ સ્ટાફ સાથે સાયલા સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત રણજીતસિંહની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. મારમારી સમયે રણજીતસિંહે સોનાની અઢી તોલાની માળાની લૂંટ ચલાવી હોય તેવું પણ જણાવ્યું હતું.










