![]()
ગોધરા તા.૧૧ મહીસાગર જિલ્લાના રૃા.૧૨૩ કરોડના નલ સે જલ યોજનાના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે વધુ એક કોન્ટ્રાકટરની બાલાસીનોરના કહૈયા ગામેથી ધરપકડ કરી હતી. કોન્ટ્રાકટર જયંતિ પટેલે પાંચ તાલુકાના ૩૦ ગામોમાં ગેરરીતિ આચરી હતી.
આ કૌભાંડમાં લુણાવાડા વાસ્મો કચેરીના તત્કાલીન ૧૨ કર્મચારીઓ સામે ગુનો દાખલ થયા બાદ પોલીસે ચાર કર્મચારીઓ સહિત કુલ ૮ કૌભાંડીઓની ધરપકડ કરી હતી. જ્યારે કોન્ટ્રાકટર જયંતિલાલ હીરાભાઈ પટેલની ગઈકાલે મોડી સાંજે ધરપકડ કરવામા આવી હતી. વાસ્મો કચેરીના કર્મચારી વનરાજસિંહ સોઢાના રિમાન્ડ દરમિયાન મળેલી માહિતી મુજબ મહીસાગરની સરહદે આવેલા કહૈયા ગામે ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.
ઇજારદાર જયંતિભાઈ પટેલ સામે રૃા.૨.૫૯ કરોડની નાણાંકીય વસૂલાતની વાસ્મો કચેરીએ નોટિસ ઇસ્યૂ કરી હતી. આ ઈજારદાર પણ અન્ય ઇજારદારોની જેમ ભૂગર્ભમાં છુપાઈ ગયો હતો.










