![]()
Vadodara Corporation : વાધોડીયા ચોકડીથી સિધ્ધેશ્વર હાર્બર સુધી નેશનલ હાઇ-વે સમાંતર વરસાદી ચેનલ બનાવવાના કામ (Phase-II) અર્થે ઇજારદાર મે.ડી.બી. ઇન્ફ્રાટેકનું ભાવપત્ર નેટ અંદાજીત રકમ રૂ.15,94,76,628થી 21.06% ઓછા મુજબનુ રૂ.12,58,90,850 GSTની રકમના બિનશર્તિય ભાવપત્રને સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શહેરની પૂર્વ દિશા તરફ સુરત-અમદાવાદ નેશનલ હાઇ-વે નં.48 પસાર થાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ હાઇ-વે ધ્વારા વિવિધ જગ્યાઓ પર ક્રોસીંગ કરવામાં આવેલ છે જેના કારણે ચોમાસાની ઋતુમાં હાઇ-વેનું તેમજ હાઇ-વેના પૂર્વ વિસ્તાર તરફથી ખૂબ વધુ પ્રમાણમાં વરસાદી પાણી શહેરમાં પ્રવેશે છે. હાઇ-વેના વિસ્તારમાંથી હાઇ-વેના તમામ ક્રોસીંગમાંથી આવતું વરસાદી પાણી ઘણાં વધારે જથ્થામાં શહેરમાં પ્રવેશતું હોવાને કારણે શહેરના પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોન વિસ્તારમાં આવેલ વરસાદી ગટરો ઓવર-ફલો થાય છે. જેના નિવારણ માટે પાલિકા દ્વારા દરજીપુરા, પાંજરાપોળ પાસે આવેલ હાઇ-વેથી વિશ્વામિત્રી નદી તરફ પાકી વરસાદી ચેનલ બનાવવામાં આવેલ છે. જેના કારણે દરજીપુરા તરફથી વિશ્વામિત્રી નદી તરફના હાઇ-વેના કલ્વર્ટોમાંથી આવતાં વરસાદી પાણીનો મુખ્યત્વે વિશ્વામિત્રી નદીમાં ડાયવર્ટ થાય છે.
દરજીપુરા કલ્વર્ટથી જામ્બુવા નદી તરફ હાઇ-વે સમાંતર વરસાદી પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે હાઇ-વેના કલ્વર્ટોમાંથી શહેરમાં આવતાં વરસાદી પાણી શહેરના પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ રહે છે અને ત્રણ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ઓગષ્ટ-2019માં તથા હાલમાં ઓગસ્ટ-2024માં વધારે વરસાદના સમયે વરસાદી પાણીનો નિકાલ ઘણાં દિવસો સુધી થઇ શકેલ ન હતો. દર વર્ષે વધારે વરસાદના સમયમાં હાઇ-વે તરફથી આવતાં વરસાદી પાણીને કારણે નાગરિકોની માલમત્તાને કરોડો રૂપિયાનું નુકશાન થાય છે.
જેથી હાઇ-વેના તમામ ક્રોસીંગમાંથી આવતાં વરસાદી પાણીનો સત્વરે નિકાલ જામ્બુવા નદી તરફ થાય તે માટે દરજીપુરા, પાંજરાપોળ તરફથી જામ્બુવા નદી તરફના ભાગે હાઇ-વે સમાંતર પૂર્વ દિશા તરફની લંબાઇમાં વરસાદી ગટર બનાવવાનું આયોજન કરવું જરૂરી છે. જે કામગીરી અંતર્ગત હાલમાં (Phase-1) પેટે L&T Culvertથી વાધોડીયા ચોકડી સુધી વરસાદી ચેનલ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. કામગીરી અર્થે હાલના વરસાદી ગટરના કામો માટેના એમ્પેનલ્ડ કન્સલટન્ટ પૈકીના કન્સલટન્ટ મે.રે ઇન્ફાસ્ટ્રક્ચર પ્રા.લીને પી.એમ.સી. તરીકે નિમણુક કરેલ છે. જેના સંદર્ભમાં કન્સલ્ટન્ટ તરફથી ડ્રેનેજ-ગટર પ્રો.શાખાના પત્રથી કામગીરી અર્થે વાધોડીયા ચોકડીથી સિધ્ધેશ્વર હાર્બર સુધી નેશનલ હાઇ-વે સમાંતર 1350 મી. લંબાઇમાં 3.50X3.50 મી. સેક્શનની વરસાદી ચેનલ બનાવવા માટે નેટ અંદાજ રૂ.15,94,76,628 ગ્રોસ અંદાજ રૂ.22,11,48,200 (18% GST, PMC-TPI ચાસ, 5% કન્ટીજન્સી) સહનો અંદાજ રજુ કર્યું છે. જેને તા.27.11.2024થી મંજુરી આપેલ છે. કામે ભાવપત્રો મંગાવતાં કુલ 11 ઇજારદારના ભાવપત્રો આવેલ છે. ઇજારદાર મે.ડી.બી. ઇન્ફ્રાટેકનું ભાવપત્ર નેટ અંદાજીત રકમ રૂ.15,94,76,628થી 21.06% ઓછા મુજબનું રૂ.12,58,90,850+ GSTની રકમના બિનશર્તિય ભાવપત્રકને મંજૂરી આપવા દરખાસ્તને સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.










