ગારીયાધાર-પરવડી રોડ પરથી પાંચ શખ્સોની ધરપકડ; સોનાના દાગીના, મોબાઈલ અને સ્વીફ્ટ કાર સહિત રૂ.3.62 લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગર: ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી તેમના કાનમાંથી સોનાના દાગીના ઝૂંટવવાના ગુનાનો ભાવનગર એલ.સી.બી.એ પર્દાફાશ કરી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી સોનાના દાગીના, બે મોબાઈલ ફોન તથા સ્વીફ્ટ કાર મળી કુલ રૂ.3.62 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓના શકમંદોની તપાસમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ગારીયાધાર-પરવડી રોડ પર રતનવાવ ગામના પાટિયા પાસે સફેદ રંગની સ્વીફ્ટ કાર નં. GJ-05-JH-1720માં કેટલાક શખ્સો સોનાના દાગીના સાથે બેઠા છે.
બાતમીના આધારે એલ.સી.બી. ટીમે સ્થળ પર તપાસ કરતાં પાંચ શખ્સો મળી આવ્યા હતા. તેમની પાસેથી સોનાના દાગીના મળી આવતા દાગીનાના આધાર-બિલ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ કે આધાર રજૂ કરી શક્યા નહોતા. જેથી પોલીસે શંકાસ્પદ મિલકત કબજે કરી પાંચેયની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં બે ગુનાની કબૂલાત પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ આશરે સાત દિવસ અગાઉ ગારીયાધાર તાલુકાના પરવડી ખાતેથી એક વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની પોખાની કાઢી લીધી હોવાનું તેમજ આશરે પાંચ દિવસ અગાઉ રાજસ્થાન ખાતે અન્ય એક વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટી કાઢી લીધી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.રૂ.3.62 લાખનો મુદ્દામાલ કબજે પોલીસે આરોપીઓ પાસેથી કાનમાં પહેરવાની સોનાની પોખાની, વજન 12.590 ગ્રામ, કિંમત રૂ.30 હજાર તથા સોનાની બુટી, વજન 6.310 ગ્રામ, કિંમત રૂ.72 હજાર મળી કુલ રૂ.1.02 લાખના સોનાના દાગીના કબજે કર્યા હતા. ઉપરાંત બે મોબાઈલ ફોન રૂ.10 હજાર તથા સફેદ રંગની સ્વીફ્ટ કાર રૂ.2.50 લાખ મળી કુલ રૂ.3.62 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પાંચેય આરોપીઓ સામે કાર્યવાહી પોલીસે સુનિલભાઈ મનસુખભાઈ ચુડાસમા (ઉં.વ.28), અશ્વિનભાઈ બાબુભાઈ સોલંકી (ઉં.વ.36), મનસુખભાઈ નાનજીભાઈ ચુડાસમા (ઉં.વ.58), ઈશ્વરભાઈ રમેશભાઈ વણોદીયા (ઉં.વ.31) અને અનુબેન અશ્વિનભાઈ સોલંકી (ઉં.વ.28)ની ધરપકડ કરી ગારીયાધાર પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.આ મામલે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11198019260395 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 304(2), 3(5), 61(2)(એ) મુજબ ગુનો નોંધાયો છે.અગાઉ પણ ગુનામાં સંડોવણી પોલીસ તપાસમાં આરોપીઓ પૈકી સુનિલભાઈ, અશ્વિનભાઈ અને મનસુખભાઈ વિરુદ્ધ અગાઉ ગાંધીનગર, અમરેલી, અમદાવાદ તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરવાની એમ.ઓ.પોલીસના જણાવ્યા મુજબ આ ટોળકી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી તેઓએ પહેરેલા સોનાના દાગીના કાઢી લેવાની એમ.ઓ. ધરાવે છે. આથી પોલીસે આ ટોળકી દ્વારા અન્ય સ્થળોએ પણ આવા ગુનાઓ આચરવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. એલ.સી.બી.ની ટીમે કામગીરી કરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા સહિત જયદાનભાઈ લાંગાવદરા, બીજલભાઈ કરમટીયા, જગદીશભાઈ સાંગા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઈ ચાવડા, રાજુભાઈ વાઘેલા, નીલેશભાઈ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા અને પ્રજ્ઞેશભાઈ પંડ્યાએ આ કામગીરી હાથ ધરી હતી.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા







