![]()
વડોદરાઃ ઓનલાઈન શોપિંગ બાદ હવે ક્વિક કોમર્સ એટલે કે ગણતરીની મિનિટોમાં જોઈએ તે વસ્તુ ઘરે પહોંચાડતી સવસ પણ લોકોની રોજબરોજની જિંદગીનો મહત્વનો હિસ્સો બની રહી છે.
વડોદરામાં તેનો લોકો કઈ રીતે ઉપયોગ કરે છે તેના પર એમ.એસ.યુનિવસટીના સ્ટેટિસ્ટિક વિભાગના વિદ્યાર્થીઓ અનોખી દેસાઈ, રિતિકા શર્મા, સંજના કુમારી તથા વેદાંત ઘાઈસસે વિભાગના પ્રોફેસર અને ફેકલ્ટી ડીન પ્રો.વિપુલ કલમકરના હાથ નીચે એક સર્વે હાથ ધર્યો હતો.જેમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાં રહેતા ૩૫૦ જેટલા લોકોના અભિપ્રાય લીધા હતા.
આ સર્વેનું એક મહત્વનું તારણ એ છે કે, ૬૭ ટકા લોકો ક્વિક કોમર્સ સવસનો ઉપયોગ કરે છે અને ૩૩ ટકા એવા છે જેમણે ક્યારેય આ પ્રકારની સવસનો ઉપયોગ કર્યો નથી.આમ દર ત્રણમાંથી બે શહેરીજનો આ પ્રકારની સવસનો ઉપયોગ કરતા થઈ ગયા છે.
૭૩ ટકા લોકોએ કરિયાણું મંગાવવા માટે ક્વિક કોમર્સ સવસનો ઉપયોગ કરતા હોવાનું કહ્યું હતું અને ઉપયોગ કરનારા સૌથી વધારે ૫૬ ટકા લોકો ૨૬ થી ૪૧ વર્ષની વયના હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જેઓ વધારે શિક્ષિત છે તેવા લોકો ક્વિક કોમર્સ સવસનો ઉપયોગ વધારે કરે છે અને આ સવસનો સૌથી વધું ઉપયોગ સાંજે ૬ વાગ્યા બાદ થાય છે.૩૯ ટકા લોકો સાંજે અને ૨૩ ટકા લોકો રાત્રે તેના પરથી વસ્તુઓ મંગાવે છે.
૬૩ ટકા લોકો ખાણી-પીણીની વસ્તુઓ મંગાવે છે
અડધી રાત્રે ઓર્ડર કરનારા લોકોની સંખ્યા માત્ર ૩.૫ ટકા
–૨૬ થી ૪૧ વર્ષના વયજૂથના લોકો ક્વિક કોમર્સ સવસનો સૌથી વધારે ઉપયોગ કરે છે અને તેનું કારણ એ છે કે, નોકરી અને વ્યવસાયના કારણે ઈમરજન્સીમાં જાતે ખરીદી કરવા જવા સમયનો અભાવ
–એક લાખથી વધુ આવકવાળા લોકોમાં સૌથી વધારે ઉપયોગ,આમ આવક વધારે તેમ ઉપયોગ વધારે
–પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા જૂથમાં ૭૨ ટકા લોકો દ્વારા ઉપયોગ
–૪૩ ટકા લોકો એક વર્ષ કરતા વધારે સમયથી અને ૪૦ ટકા લોકો એક વર્ષ કરતા ઓછા સમયથી ઉપયોગ કરે છે
–૩૩ ટકા લોકો દર વખતે ૨૦૦ રુપિયા કરતા ઓછી અને ૩૮ ટકા લોકો ૨૦૦ થી ૪૦૦ રુપિયાની વચ્ચેનો ઓર્ડર આપે છે.–અડધી રાત્રે ઉપયોગ કરનારા લોકોની સંખ્યા માત્ર ૩.૫ ટકા અને બપોરે ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ૧૫ ટકા
–૭૩ ટકા લોકો કરિયાણું તો ૬૩ ટકા લોકો ખાણી પીણીની વસ્તુઓ, ૫૬ ટકા લોકો જીવન જરુરિયાતની વસ્તુઓ, ૩૯ ટકા લોકો પર્સનલ કેર પ્રોડકટસ અને ૨૨ ટકા દવાઓ મંગાવે છે
–પેમેન્ટ માટે ૫૪ ટકા લોકો યુપીઆઈ અને ૩૨ ટકા લોકો કેશ ઓન ડિલિવરી વિકલ્પ પસંદ કરે છે
–ઉપયોગ નહીં કરનારાઓમાં ૫૦ વર્ષથી વધારે વયના અને શિક્ષિત ના હોય તેવા લોકોની સંખ્યા વધારે.–નિવૃત્ત થયેલા લોકો પૈકી માત્ર ૩ ટકા સવસનો ઉપયોગ કરે છે








