![]()
અપહરણ અને ખંડણીના ત્રણ ગુનામાં સંડોવાયેલા
આરોપીની ટોળકીએ દહેગામના ત્રણ વેપારીના અપહરણ કરી મારી નાંખવાની ધમકી આપી રૃપિયા ૧૧૭ લાખ પડાવ્યા હતાં
ગાંધીનગર : દહેગામના ત્રણ વેપારીઓના જુદા જુદા સમયે અપહરણ કરીને તેમની
પાસેથી ખંડણી તરીકે કુલ મળીને રૃપિયા ૧૧૭ લાખ પડાવી લેવાના ગુના આચરનારી ટોળકીના
સાગરીત અને ત્રણ વર્ષથી ફરાર રહેલા મુળ હિંમતનગરના રહેવાસી એવા આરોપીને સ્પેશ્યલ
ઓપરેશન ગુ્રપ પોલીસ દ્વારા અમદાવાદના અસરાવા વિસ્તારમાંથી ઝડપી લેવાયો છે. તેને
કાયદેસરની કાર્યવાહી કરવા માટે દહેગામ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ગાંધીનગર એસઓજીના ઇન્સપેક્ટરના જણાવવા પ્રમાણે અપહરણ કરીને
ખંડણી પડાવવાના ગુનામાં સંડોવાયેલા મુળ સાબરકાંઠાના હિમતનગર શહેરની મહાવીરનગર
સોસાયટીમાં રહેતા ૫૩ વષય સંજય હરજીવનદાસ શાહની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ તેના
અન્ય સાગરીતો સાથે મળીને દહેગામના વેપારીઓના અપહરણ કર્યા હતાં. વેપારીઓને અવાવરૃ
જગ્યાઓ પર લઇ જઇ છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રણ કિસ્સામાં
અનુક્રમે રૃપિયા ૫૦ લાખ, રૃપિયા
૨૨ લાખ અને રૃપિયા ૪૫ લાખ પડાવ્યા હતાં. આરોપી સંજય આ ગુનાઓમાં વોન્ટેડ હતો. જેને
અમદાવાદના અસારવા વિસ્તારમાં જેપી ફાઉન્ડેશન નામની સંસ્થામાં રોકાયો હોવાની બાતમી
મળવાના પગલે પકડી પાડવામાં આવ્યો હતો. પુછપરછમાં આરોપીએ ઓળખ છુપાવીને
મહારાષ્ટ્રમાં ગોવા શહેરમાં આવેલી ફોનીક્સ કસીનોમાં ડ્રાઇવર તરીકેની નોકરી કરતો
હોવાની કબુલાત આપી હતી.










