![]()
વડોદરા, તા.10 શાકભાજીના વેપારીને ૧૫ ટકા વ્યાજે રૃપિયા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોર સગા ભાઇઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સયાજીપુરામાં પાણીની ટાંકી સામે શાંતિ હાઇટ્સમાં રહેતા લલિત મોરારીલાલ ખંડેલવાલે બાપોદ પોલીસ સ્ટેશનમાં દર્પણ અશોક શાહ અને તેના ભાઇ હિતેશ (બંને રહે.પનઘટ સોસાયટી પાછળ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું વાઘોડિયારોડ પર વસુંધરા સોસાયટીના નાકા પર શાકભાજીનો વેપાર કરું છું. મારે ત્યા શાકભાજી લેવા આવતા હિતેશ પાસેથી તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ધંધા માટે રૃા.૩૦ હજાર વ્યાજે લીધા હતા જે મે પરત કરી દીધા હતાં.
ડિસેમ્બર ૨૦૨૪માં મારે વધારે પૈસાની જરૃર પડતા મેં રૃા.૧ લાખની વ્યાજે માંગણી કરતા હિતેશે મારો ભાઇ દર્પણ મોટી રકમ આપે છે તેમ કહી તેની સાથે ઓળખાણ કરાવી હતી. બાદમાં બે પ્રથમ વખત ધંધા માટે રૃા.૫ પાંચ લાખ અને પછી પત્નીની બીમારીની સારવાર માટે રૃા.૪ લાખ દર્પણ પાસેથી ૧૫ ટકા વ્યાજે લીધા હતા અને દર મહિને કુલ રૃા.૯ લાખનું રૃા.૧.૩૫ લાખ વ્યાજ ચૂકવતો હતો. છેલ્લા બે માસથી વ્યાજ નહી ચૂકવી શકતા બંને ભાઇઓએ મને ધમકીઓ આપવાનું શરૃ કર્યુ હતું તેઓ જો પૈસા નહી આપે તો ચેક બેંકમાં નાંખવાની કહી હેરાન પરેશાન કરે છે.










