Manipur Violence: નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) એ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઈ અને અન્ય પાંચ ન્યાયાધીશોનું એક પ્રતિનિધિમંડળ 22 માર્ચે જાતીય હિંસાથી પ્રભાવિત મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેશે.
રાહત શિબિરોની લેશે મુલાકાત
NALSAએ કહ્યું કે, જસ્ટિસ ગવઈ જેઓ NALSAના કાર્યકારી અધ્યક્ષ પણ છે તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, વિક્રમ નાથ, એમએમ સુંદ્રેશ, કેવી વિશ્વનાથન અને એન. કોટીસ્વર સિંહ સાથે મણિપુર હાઈકોર્ટના દ્વિવાર્ષિક સમારોહના અવસર પર રાહત શિબિરોની મુલાકાત લેશે.