Judge Yashwant Varma Cash Case : અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી મળેલી રોકડના મામલે પૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) ડી.વાય.ચંદ્રચૂડે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં FIR ચોક્કસ દાખલ થવી જોઈતી હતી. જોકે, તેમણે એવો સવાલ કર્યો છે કે, ‘શું પૈસા તેમના હતા કે તેમના ઘરમાંથી મળ્યા હતા? જજને સંપૂર્ણ સુનાવણીની તક મળવી જોઈએ.’