![]()
વડોદરાઃ શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી માતા અને પુત્રીએ તેમના મૃત પુત્રની પત્ની અને બાળકોને મિલકતનો ભાગ ના મળે તે હેતુથી પુત્રને અપરિણીત દર્શાવી વારસાઇનું સોગંદનામું કરતાં પોલીસ ફરિયાદ થઇ છે.
કોયલીના ગણેશ ફળિયામાં રહેતા બ્રિજેશભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,મારી કઝીન પ્રિયંકાએ મને પાવર ઓફ એટર્ની આપતાં પોલીસ ફરિયાદ કરી છે.મારી બહેનના લગ્ન વર્ષ-૧૯૯૩માં શૈલેષ રાવજીભાઇ પટેલ સાથે થયા હતા.
ત્યારબાદ તેઓ અમેરિકા સ્થાયી થયા હતા અને બે સંતાન પણ થયા હતા.વર્ષ-૨૦૧૪માં શૈલેષભાઇ તેની પત્ની પ્રિયંકા અને બે સંતાનો સાથે વડોદરા આવ્યા હતા.હરિદ્વાર ખાતે ફરવા ગયા તે દરમિયાન નોઇડા એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલનો એક્સિડન્ટ થતાં પ્રિયંકાના પતિ શૈલેષ પટેલ અને તેના પિતા રાવજીભાઇ પટેલના મોત થયા હતા.
ત્યારબાદ મારી બહેન અને તેના સંતાનો વિદેશ પરત ફર્યા હતા.પરંતુ ગઇ તા.૧૪-૨-૨૦૧૭ના રોજ પ્રિયંકાની નણંદ ભાવના રાવજીભાઇ પટેલે તેમના કારેલીબાગના બે મકાનની વારસાઇ અંગે સમાના મામલતદાર સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું.જેમાં મૃતક ભાઇ શૈલેષને અપરણિત બતાવવામાં આવ્યા હતા.જેથી સમા પોલીસે શૈલેષની બહેન ભાવના પટેલ અને તેની માતા લલિતાબેન પટેલ(શ્રી જય સંતોષીનગર,કારેલીબાગ) સામે ગુનો નોંધ્યો છે.










