
કર્મચારીઓ પીએફના લાભથી પણ વંચિત, કમિશ્નરને રજૂઆત
સીટી બસની સંચાલક એજન્સી પગાર ચુકવવામાં ધાંધિયા કરતા કર્મીઓની હાલત કફોડી બની
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર સિટી બસના ડ્રાઇવરો અને કંડક્ટરોએ છેલ્લા ત્રણ મહિનાનો બાકી પગાર એક વર્ષથી અનિયમિત વેતન ચૂકવાવા મામલે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનરનું ધ્યાન દોર્યું છે. ઉલ્લેખનીય છે કે સિટી બસની સુવિધા તા.૧૫/૦૮/૨૦૨૪ થી શરૃ કરવામાં આવી છે અને તેનું સંચાલન એજન્સી કર્મરાજ ટ્રાવેલ્સ દ્વારા કરવામાં આવે છે.










