
આજે મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનાને 3 વર્ષ પૂરા થશે : કોલેજના મિત્રો ઝૂલતા પુલ ઉપર ગયા ત્યાં કાળ ત્રાટકતાં ચારે’ય મિત્રો એક સાથે જ મૃત્યુ પામ્યા: 135થી વધુ નિર્દોષ નાગરિકોના મૃત્યુ
મોરબી, : વર્ષ 2022ની 30 ઓક્ટોબર મોરબીના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે લખાઈ ગયેલી છે. એ ગોઝારા દિવસે મોરબીનો એતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં બાળકો, મહિલાઓ સહિત 135થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, જે અંગેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. દુર્ઘટનામાં પોતાનાં બાળકો ગુમાવનાર વાલીઓની આંખોના અશ્રુ આજે પણ સૂકાયા નથી.
30 ઓક્ટોબર 2022ના રોજ દિવાળીની રજાઓ બાદ સહેલાણીઓ મોરબીના ઝુલતા પુલ પર ફરવા માટે ગયા હતા.










