![]()
શહેરમાં સાંજ પડતાં જ અકસ્માતનો કહેર વર્તાવા માંડતો હોય તેમ લાગે છે.કારેલીબાગના હિટ એન્ડ રનના ખોફનાક બનાવ બાદ વડસર અને ખોડિયાર નગર ખાતે બનેલા બનાવ ગભરાટ ફેલાવે તેવા છે.
દરમિયાનમાં આજે રાતે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો.સદનશીબે તેમાં કોઇને જાનહાનિ થઇ નહતી.
ગોત્રી સિવિલ હોસ્પિટલ પાસેથી એક કાર પૂરઝડપે પસાર થઇ રહી હતી ત્યારે એકાએક કાર ચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગૂમાવ્યો હતો અને કાર ધડાકાભેર પલટી ગઇ હતી.બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને પોલીસને બોલાવી હતી.
ગોત્રીના પીઆઇ આરએન પટેલે કાર ચાલક રણજિત ચૌધરીની પૂછપરછ કરી હતી અને તેણે દારૃનો નશો કર્યો છે કે કેમ તેની તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવડાવવા તજવીજ કરી હતી.










