![]()
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે છેતરપિંડી મામલે બેંક કર્મીની સંડોવણી ખુલી
મેનેજરે ક્વોટેશન મંજૂર કરી અને ફિલ્ડ વિઝિટ નહી કરી લોન મંજૂર કરી દીધી હતી
ભાવનગર – વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) અંતર્ગત લઘુઉદ્યોગ શરૃ કરવા માટે ખોટા બીલોના આધારે લોન મેળવી એસબીઆઈ સાથે રૃ.૧.૩૫ કરોડની છેતરપિંડી વિશ્વાસઘાત કરવાના મામલે બેંક કર્મચારીની સંડોવણી ખુલી છે. ક્વોટેશન અને ફિલ્ડ વિઝિટ નહી કરી લોન મંજૂર કરી દેનાર ચીફ મેનેજરને પોલીસે ઝડપી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) અંતર્ગત લઘુઉદ્યોગ શરૃ કરવા માટે ખોટા બીલો રજૂ કરી લોન મેળવી લોનના પૈસા અંતગ ઉપયોગ માટે વાપરી નાખી બેંક સાથે રૃ.૧.૩૫ કરોડની છેતરપિંડી વિશ્વાસઘાત કરનારા બેંકના એજન્ટ સહિત ૬ શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે લાભાર્થીઓ અને એજન્ટ તથા ખોટા બીલ બનાવી દેનારા શખ્સોને ઝડપી જેલહવાલે કર્યાં બાદ પોલીસ તપાસમાં હવે આ મામલે બેંકના કર્મચારીની સંડોવણી ખુલી છે. લઘુ ઉદ્યોગ શરૃ કરવા માટે મશીનરી ખરીદવાના મામલે ફિલ્ડ વિઝિટ કર્યાં વિના ક્વોટેશન પ્રમાણેની રકમ એસબીઆઈના ચીફ મેનેજર સંતોષકુમાર શ્રીસરજુપ્રસાદ તિવારી (રહે. સંસ્કારમંડળ, ભાવનગર)ને નિલમબાગ પોલીસે ઝડપી લઈ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.










