નવી દિલ્હી,૨ મે,૨૦૨૫,શુક્રવાર
દેશમાં મેઘાલયનું બર્નીહાટનું વાયુ પ્રદૂષણ સૌથી ઉચ્ચતમ સ્તરે રહયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૧ મે ૨૦૨૫ના રોજ આંકડા બહાર પાડવામાં આવેલા જેમાં જણાવ્યા અનુસાર બર્નીહાટનો વાયુ ગુણવત્તા સૂચકાંક ૩૧૧ નોંધવામાં આવ્યો હતો. પ્રદૂષણ મામલે ગુરુગ્રામ બીજા સ્થાને રહયું હતું જેનો એકયૂઆઇ ૨૪૯ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામની હવામાં ૨૧ અંક જેટલો નજીવો સુધારો જોવા મળ્યો છે.