![]()
શહેરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે ગત્ તા. ૨ જૂનથી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ટ્રેક શરૂ કરાયો છે. નવી સિસ્ટમમાં અરજદારની ડ્રાઇવિંગનું મૂલ્યાંકન સંપૂર્ણપણે કેમેરા અને ટેકનોલોજીના આધારે થાય છે. વાહનની દરેક ગતિવિધિ સિસ્ટમ દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે અને તેના આધારે પરિણામ જનરેટ થાય છે.
નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ ખાસ કરીને એલ.એમ.વી. (લાઈટ મોટર વ્હીકલ ) માટે ટેસ્ટ આપતા અરજદારો મોટી સંખ્યામાં નિષ્ફળ થઈ રહ્યા છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન ટુ-વ્હીલર અને ફોર વ્હીલર મળીને કુલ ૬૬૦ અરજદારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા હતા, જેમાંથી ૩૧૯ અરજદારો ફેઈલ થયા છે.
આંકડાઓ મુજબ, ૪૦૮ અરજદારોએ ટુ-વ્હિલર માટે ટેસ્ટ આપ્યો હતો, જેમાંથી ૯૨ અરજદારો નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ, છેલ્લા પાંચ દિવસ દરમિયાન ૨૫૨ અરજદારોએ ફોર વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યો હતો, જેમાંથી માત્ર ૨૫ અરજદારો જ પાસ થઈ શક્યા છે, જ્યારે ૨૨૭ અરજદારો ફેલ થયા છે.
આરટીઓ અધિકારીઓનું કહેવું છે કે નવી એઆઈ આધારિત સિસ્ટમ મુાનવીય હસ્તક્ષેપ વગર દરેક પ્રક્રિયાનું નિરીક્ષણ કરે છે. પરિણામે અરજદારોની નાની ભૂલો પણ નોંધાઈ જાય છે. ફોર વ્હીલર ટેસ્ટમાં સૌથી વધુ અરજદારો રિવર્સ એસ ટ્રેક, ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવામાં અને પાર્કિંગ પ્રક્રિયા દરમિયાન થતી ચૂકના કારણે નિષ્ફળ થઈ રહ્યા છે. અરજદારો નિ પાલન કરી ડ્રાઇવિંગ સ્કિલ વધારે એ જરૂરી છે. નિયમોનું










