![]()
અમદાવાદ : નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેંકના ડેટા મુજબ, જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં અને ચાલુ નાણાકીય વર્ષમાં, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ (કામચલાઉ ડેટા) સુધી કુલ રૂ. ૬,૧૫,૬૪૭ કરોડની લોન માંડી વાળી છે.
તેમણે કહ્યું હતું કે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩થી જાહેર ક્ષેત્રની બેંકોમાં કોઈ મૂડી દાખલ કરી નથી. આ બેંકોએ તેમના નાણાકીય પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, અને નફાકારક બની છે અને તેમની મૂડી સ્થિતિ મજબૂત કરી રહ્યા છે.
આ બેંકો હવે તેમની મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બજાર સ્ત્રોતો અને આંતરિક સંચય પર આધાર રાખે છે અને ૧ એપ્રિલ, ૨૦૨૨થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ની વચ્ચે ઇક્વિટી અને બોન્ડ દ્વારા બજારમાંથી રૂ. ૧.૭૯ લાખ કરોડ એકત્ર કર્યા છે.
બેંકો રિઝર્વ બેંક માર્ગદર્શિકા અને બેંકોના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિ અનુસાર, ચાર વર્ષ પછી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) માં ઘટાડો કરે છે. ચૌધરીએ એમ પણ જણાવ્યું હતું કે લોનમાં ઘટાડો કરવાનો અર્થ એ નથી કે દેવાદારોની ચુકવણીની જવાબદારીઓ અદ્રશ્ય થઈ જશે.
બીજા પ્રશ્નના જવાબમાં, તેમણે જણાવ્યું હતું કે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પરંપરાગત રીતે ભારતમાં નિકાસ ધિરાણનો મુખ્ય ોત રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષ (નાણાકીય વર્ષ ૨૦-૨૧ થી ૨૪-૨૫) માં જાહેર ક્ષેત્રની બેંકો, સીડબી અને એક્ઝિમ બેંક દ્વારા આપવામાં આવેલ કુલ નિકાસ ધિરાણ રૂ. ૨૧.૭૧ લાખ કરોડ હતું.










