gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ગાંધીજી એ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ને રાષ્ટ્રગીત બનાવ્યું, મનરેગા અંગે સવાલ કરતાં સાંસદ કંગના રન…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in INDIA
0 0
0
VIDEO: ગાંધીજી એ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ને રાષ્ટ્રગીત બનાવ્યું, મનરેગા અંગે સવાલ કરતાં સાંસદ કંગના રન…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Kangana Ranaut controversial statement: કેન્દ્ર સરકારે મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ)ની જગ્યાએ વિકાસિત ભારત- રોજગાર અને આજીવિકા માટે ગેરંટી મિશન (VB-G RAM G) લાવવાનો પ્રસ્તાવ લોકસભા મૂકતાં આજે ભારે હંગામો થયો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ ભાજપ દ્વારા નામ બદલવાને ગાંધીજીનું અપમાન ગણાવીને ટીકા કરી હતી ત્યારે ભાજપ સાંસદ કંગના રનૌતે વિપક્ષી પાર્ટીના આરોપોનો જવાબ આપવામાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ને રાષ્ટ્રગીત કહી દેતા વિપક્ષના નેતાઓએ ટ્રોલ કરી છે.

ગાંધીજી અને રાષ્ટ્રગીત પર કંગના શું બોલી?

મહત્વનું છે કે ચર્ચા બાદ સંસદની બહાર મીડિયા દ્વારાCને સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં સાંસદએ કહ્યું હતું કે ‘મનરેગાનું ‘જી રામ જી’નું નામ બદલવાથી ગાંધીજીનું અપમાન કેવી રીતે થઈ શકે? મહાત્માજીએ શ્રી રામ, રઘુપતિ રાઘવ રાજા રામ વિશે રાષ્ટ્રગીત બનાવ્યું. આ સાથે તેમણે સમગ્ર દેશને એક કર્યો. તો, આ મહાત્મા ગાંધીજીનું અપમાન કેવી રીતે થઈ શકે? સરકાર ગાંધીજીનું જ સ્વપ્ન પૂર્ણ કરવા માટે રામના નામ પર રાખી રહી છે.’

गांधी जी ने ‘रघुपति राघव राजा राम’ को लेकर नेशनल एंथम बनाया था

BJP MP कंगना रनौत

चलो भाई आज नया नेशनल एंथम भी पता चला है!

BJP में एक से एक शिरोमणि भरे पड़े हैं 😂🤣 pic.twitter.com/9DvyV5xLb1

— Supriya Shrinate (@SupriyaShrinate) December 16, 2025

કોંગ્રેસ નેતા બાદ લોકોએ કરી ટ્રોલ

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે ટ્વિટ કરીને વીડિયો શેર કર્યો. તેમણે લખ્યું, “સારું, આજે આપણે નવું રાષ્ટ્રગીત પણ શોધી કાઢ્યું છે! ભાજપ મહાન વ્યક્તિઓથી ભરેલો છે.” ટ્વિટર પર બીજા એક યુઝરે કટાક્ષમાં લખ્યું  છે કે ‘કંગનાજી, તમે અમને કહેવાનું ભૂલી ગયા કે આ રાષ્ટ્રગીત બાપુએ 2014માં દેશને આઝાદી મળ્યા પછી રચ્યું હતું.’ બીજા એક યુઝરે લખ્યું, ‘તેઓ એવા લોકોને શોધે છે જેઓ વોટ્સએપ સંદેશાઓ ફોરવર્ડ કરતી વખતે પોતાના મગજનો ઉપયોગ કરતા નથી!’

યોજનાઓના નામ બદલવા પર પ્રિયંકા ગાંધીએ કરી ટીકા

બીજી તીરફ સંસદમાં મનરેગા(MGNREGA) કાયદાને નાબૂદ કરી તેની જગ્યાએ નવું બિલ લાવવા મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ‘વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) – VB-GRAM G’ બિલ, 2025નો સખત વિરોધ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે આ નવું બિલ રોજગારના કાયદાકીય અધિકારને નબળો પાડે છે અને સત્તાનું કેન્દ્રીકરણ કરે છે. પ્રિયંકા ગાંધીએ સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે, ‘સરકારને દરેક યોજનાનું નામ બદલવાની જે સનક છે, તે સમજાતી નથી. જ્યારે પણ નામ બદલવામાં આવે છે, ત્યારે સરકારી તિજોરી પર મોટો ખર્ચ થાય છે. કોઈ પણ બિલ કોઈની અંગત મહત્ત્વાકાંક્ષા કે પૂર્વગ્રહના આધારે રજૂ ન થવું જોઈએ.’ તેમણે આ બિલને પાછું ખેંચીને સ્થાયી સમિતિ પાસે મોકલવાની માંગ કરી છે.

મનરેગાના મૂળ અધિકારો પર જોખમ

કોંગ્રેસ સાંસદે નવા બિલની ખામીઓ ગણાવતાં ચિંતા વ્યક્ત કરી હતી કે, ‘આ કાયદાથી રોજગારનો કાયદાકીય અધિકાર નબળો પડશે અને મનરેગામાં અત્યાર સુધી જે કામની પાકી ગેરંટી મળતી હતી, તે હવે જોખમમાં મૂકાશે, આ બિલ દ્વારા કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીઓ ઓછી કરી રહી છે અને સત્તાનું નિયંત્રણ પોતાના હસ્તક વધારી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, અત્યાર સુધી મનરેગામાં કેન્દ્ર સરકાર 90% ગ્રાન્ટ આપતી હતી, પરંતુ નવા બિલની જોગવાઈ મુજબ હવે રાજ્યોએ 60% હિસ્સો ભોગવવો પડશે, જેના કારણે રાજ્યોની અર્થવ્યવસ્થા પર અસહ્ય બોજ વધશે.’

પંચાયતી રાજ અને બંધારણ વિરોધી વલણ

પ્રિયંકા ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘આ બિલ બંધારણના 73મા સુધારા(પંચાયતી રાજ)ની વિરુદ્ધ છે. મનરેગામાં ગ્રામસભાઓને પોતાની જરૂરિયાત મુજબ કામ નક્કી કરવાનો અધિકાર હતો, જે હવે છીનવાઈ રહ્યો છે. બંધારણની ભાવના છે કે સત્તા દરેક વ્યક્તિના હાથમાં હોવી જોઈએ, જે પંચાયતી રાજનો મૂળ મંત્ર છે, આ બિલ તેની વિરુદ્ધ છે.’

આ પણ વાંચો: ભારતના ખેડૂતોએ પરાળી સળગાવવા નાસાના સેટેલાઇટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો

સૌથી ગરીબ મજૂરો માટે ક્રાંતિકારી હતું મનરેગા

છેલ્લા 20 વર્ષના ઇતિહાસને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે મનરેગા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં સફળ રહ્યું છે. જ્યારે આપણે ક્ષેત્રમાં જઈએ છીએ ત્યારે મનરેગા મજૂર દૂરથી ઓળખાઈ જાય છે. તેના ચહેરા પર કરચલીઓ અને હાથ પથ્થર જેવા કઠણ હોય છે કારણ કે તે સખત મજૂરી કરે છે. આ કાયદો માંગ આધારિત હતો, જે ગરીબોને 100 દિવસના રોજગારની ખાતરી આપતો હતો. વિપક્ષના આ વિરોધ વચ્ચે શું સરકાર આ બિલમાં કોઈ ફેરફાર કરશે કે તેને બહુમતીના જોરે પસાર કરશે, તે જોવું મહત્ત્વનું રહેશે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચંદ્રનાથ રથ પ્રથમ નહીં પણ અત્યાર સુધી શુભેન્દુ અધિકારીના 4 ખાસ વ્યક્તિઓની થઇ ચૂકી છે હત્યા | Suvendu…
INDIA

ચંદ્રનાથ રથ પ્રથમ નહીં પણ અત્યાર સુધી શુભેન્દુ અધિકારીના 4 ખાસ વ્યક્તિઓની થઇ ચૂકી છે હત્યા | Suvendu…

May 8, 2026
ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા, કહ્યું – ધાર્મિક રિવાજો પર સવાલ ઊઠશે તો…
INDIA

ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા, કહ્યું – ધાર્મિક રિવાજો પર સવાલ ઊઠશે તો…

May 8, 2026
‘DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..’, વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભ…
INDIA

‘DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..’, વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભ…

May 8, 2026
Next Post
ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા | Two …

ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા | Two ...

તલાટીઓને શ્વાન પકડવાની કામગીરીમાંથી અપાયો છુટકારો, ગેરસમજ બાદ કરાઇ ચોખવટ | Gujarat News Gujarat Gove…

તલાટીઓને શ્વાન પકડવાની કામગીરીમાંથી અપાયો છુટકારો, ગેરસમજ બાદ કરાઇ ચોખવટ | Gujarat News Gujarat Gove...

વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ | Football Stars Messi Suárez De Pa…

વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ | Football Stars Messi Suárez De Pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni…

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni…

5 months ago
મુંબઈ હુમલા બાદ અમેરિકાના દબાણના કારણે પાકિસ્તાનને જવાબ નહોતો આપ્યો, ચિદમ્બરમનું કબૂલનામું | chidamb…

મુંબઈ હુમલા બાદ અમેરિકાના દબાણના કારણે પાકિસ્તાનને જવાબ નહોતો આપ્યો, ચિદમ્બરમનું કબૂલનામું | chidamb…

7 months ago
ત્રણ વર્ષ પછી જ પેન્શન ફંડના ઉપાડ કરવા દેવાના નિયમથી નોકરિયાત ખફા | New rules of EPFO

ત્રણ વર્ષ પછી જ પેન્શન ફંડના ઉપાડ કરવા દેવાના નિયમથી નોકરિયાત ખફા | New rules of EPFO

7 months ago
જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth…

જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni…

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni…

5 months ago
મુંબઈ હુમલા બાદ અમેરિકાના દબાણના કારણે પાકિસ્તાનને જવાબ નહોતો આપ્યો, ચિદમ્બરમનું કબૂલનામું | chidamb…

મુંબઈ હુમલા બાદ અમેરિકાના દબાણના કારણે પાકિસ્તાનને જવાબ નહોતો આપ્યો, ચિદમ્બરમનું કબૂલનામું | chidamb…

7 months ago
ત્રણ વર્ષ પછી જ પેન્શન ફંડના ઉપાડ કરવા દેવાના નિયમથી નોકરિયાત ખફા | New rules of EPFO

ત્રણ વર્ષ પછી જ પેન્શન ફંડના ઉપાડ કરવા દેવાના નિયમથી નોકરિયાત ખફા | New rules of EPFO

7 months ago
જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth…

જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News