![]()
ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત જામનગર, લાલપુર, મોરબી, ટંકારા, કોટડા સાંગાણી, માળિયા મીયાણા, અમરેલી, ગોંડલ, ધોરાજીમાં વિશાળ રેલીઓ યોજાઈ
રાજકોટ,: સમગ્ર ભારતમાં 5733 તાલુકામાં ચાલી રહેલા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગાયને રાષ્ટ્રમાતા,રાષ્ટ્રીય આરાધ્યાનો દરજ્જો જાહેર કરી ગૌ વંશની હત્યા, તસ્કરી,વગેરે પર પ્રતિબંધ મૂકવા દેશભરમાંથી ઝુંબેશ ઉપડવા ઉપરાંત ગુજરાતમાં 267 તાલુકાઓમાં સભા રેલીઓ યોજાઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્ર પણ બાકી રહેતું નથી. ગામેગામ અને શહેરોમાંથી વહીવટી અધિકારીઓને આવેદન અપાઈ રહ્યા છે.
*મોરબી જિલ્લામાં હજારો લોકોની સહી સાથે અપાયેલા આવેદનમાં ગાય માટે એકીકૃત કેન્દ્રીય કાયદો બનાવવા અને સ્વતંત્ર મંત્રાલય ઉભું કરી .દેશમાંગૌવધ પર પ્રતિબંધ મૂકી કેન્દ્રીય ગો સેવા અને સંરક્ષણ અધિનિયમ લાગુ પાડવાની માગણી કરવામાં આવી છે.મોરબી ઉપરાંત ટંકારા, વાંકાનેર, માળિયા મિયાણામાં પણ મામલતદાર કચેરીએ આવેદન આપીને માગણી પ્રબ ળ બનાવવામાં આવી છે.
*જામનગરમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ સેવા, ગૌ સુરક્ષા, અને ગૌ માતાના સન્માન મુદ્દે આજે સવારે જોગર્સ પાર્ક ખાતે ગૌસેવકો એકત્ર થયા હતા. ત્યાર બાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરીએ જઈ સુત્રોચ્ચાર સાથે આવેદન અપાયું હતુંુ. *લાલપુરમાં પણ ગાયને માતાનો દરજજો આપવાની માગણી સાથે આવેદન અપાયું હતું.*ગોંડલમાં ગોંડલ તાલુકાના ગૌ સેવકો,ગૌશાળાના સંચાલકો, સાધુ સંતોએ ગૌ સંરક્ષણ માટે કાયદાની માગણી કરી હતી.અહી માંડવી ચોકથી ગૌસેવકોની બાઈક રેલી યોજાઈ હતી. જે શહેરના કોલેજચોક, શ્યામવાડી ચોક,જીઈબી કચેરી વગેેરે સ્થળોએ ફરીને તાલુકા સેવા સદનમાં મામલતદારને આવેદન આપ્યું હતું.*અમરેલીમાં ગો રક્ષા અને ગૌ સમ્માન આહવાન અભિયાન અંતર્ગત વૃંદાવનથી પધારેલા સંતો અને સ્થાનિક સંતોની એક બેઠક યોજાઈ હતી. જેમાં ગાયની રક્ષા અને ગૌ સેવા પર ભાર મુકવામાં આવ્યો હતો. અહી ગૌ સેવકોએ મોટી સંખ્યામાં હાજર રહીને નાગદેવતા મંદિરેથી રેલી યોજી શહેરમાં ફરીને મામલતદાર કચેરીએ આવેદન આપ્યું હતું.આવી જ રીતે *કોટડાસાંગાણી અને ધોરાજીમાં આવેદન અપાયા હતા.
સાવરકુંડલામાં ગૌમાતાને શણગારી પૂજન સાથે આરતી કરાઈ
અમરેલી, : સાવરકુંડલામાં મહુવા રોડ પર કલ્યાણેશ્વર મહાદેવ મંદિર નજીક સાધુસંતોની વિશેષ હાજરીમાં ગૌ પૂજન કરાયું હતું.અહછ થાગ માતાને શણગારી આરતી ઉતારવામાં આવી હતી. બાદમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકોએ જય ગૌ માતા જય ગોપાલના ગગનભેદી નાદ સાથે રેલી યોજી સૌ કોઈ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.








