![]()
અમદાવાદ, સોમવાર
ગોમતીપુર વિસ્તારમાં અલ અમીન હોસ્પિટલ પાસેથી બન્ને પગ ગુમાવનારા વિકલાંગ યુવકની લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ કરતા લાશ પર કોઇ ઇજાના નિશાન મળ્યા ન હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં રિક્ષામાં બેસવા જતાં પડી જવાથી મોેત થયું હોવાની શંકા સેવાઇ રહી છે. ૨૦૦૮માં ટ્રેન નીચે આવી જતાં મૃતક યુવકના બન્ને પગ કપાઇ ગયા હતા. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
લાશ પર ઇજાના કોઇ નિશાન મળ્યા નથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી
ગોમતીપુરમાં યુવકનો મૃતદેહ સોમવારે સવારે ગોમતીપુરમાં આવેલી અલ અમીન હોસ્પિટલ પાસેથી રોડ ઉપરથી મળી આવ્યો હતો ૨૦૦૮માં ટ્રેનની નીચે આવતા તેના બન્ને પગ કપાઇ જતોં તે વિકલાંગ અવસ્થામાં જીવન જીવતો હતો અને નાનુ-મોટું કામ કરતો હતો.
આ બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને તપાસ કરતા લાશ પર કોઇ ઇજાના નિશાન ન હતા. તેમજ યુવક નશાની ટેવ ધરાવતો હતો. જો કે રિક્ષામાં બેસવા જતા પડી જવાથી મોત થયું હોવાની શંકા સેવાઇ રહી છે ગોમતીપુર પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને હાલતો અકસ્માત મોતનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધઆરે વધુ તપાસ હાથ ધરી છે.










