![]()
એવી જોરદાર અફવા ચાલી હતી કે જે.ડી. વાન્સ ઉષાને ધર્માંતરિત કરાવવા માગે છે તેથી વિરૂદ્ધ ઉષાએ વાન્સને સંપૂર્ણ શાકાહારી બનાવ્યા છે
નવી દિલ્હી: અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે પોતાનાં પત્ની ઉષાવાન્સનાં ધર્મ અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેઓ (ઉષા) ખ્રિસ્તી નથી. તેમજ તેઓને ધર્માંતરિત કરાવવાનો કોઈ ઈરાદો પણ નથી.
‘ટ’ ઉપર જરા વ્યાકુળ શબ્દોમાં જે.ડી. વાન્સે આ સ્પષ્ટતા કરી હતી. તેમાં લખ્યું હતું કે, આવી અફવાઓ પણ ધૃણાસ્પદ છે.
વાન્સે આગળ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ઉષા તેમનાં બાળકોને લઈને ચર્ચમાં તો જાય જ છે કારણ કે બાળકોને ખ્રિસ્તી તરીકે હું ઉછેરવા માગું છું પરંતુ ઉષાએ પોતે ખ્રિસ્તીધર્મ અંગીકાર કર્યો નથી. તેઓ હિન્દુ જ રહ્યાં છે.
તેઓના ‘ટ’ પોસ્ટની સામે ત્રણ જણાએ વળતા પોસ્ટ કર્યા હતા. પહેલો પ્રશ્ન કરનારને તેઓએ કહ્યું, ‘હું જાહેર જીવનમાં જોડાયેલી એક વ્યક્તિ હોવાથી હું પ્રશ્નને એક બાજુ તો મુકી ન જ શકું તેથી મેં આ સ્પષ્ટતા ઉષાનાં ધર્માંતરણ અંગેની સ્પષ્ટતા કરવી પડી છે.
બીજા પ્રશ્ન કર્તાને તેમણે કહ્યું કે બાયબલ સૌ કોઈને માટે સારૂ છે. વાસ્તવમાં મારા પત્નીએ જ મને મારો ધર્મ ચૂસ્ત રીતે અનુસરવા અનુરોધ કર્યો હતો. ત્રીજા પોસ્ટના જવાબમાં તેમણે કહ્યું કે, તે સત્ય છે કે, ઉષા બાળકોને ચર્ચમાં લઈ જાય છે પરંતુ તે પોતે ખ્રિસ્તી નથી.’ મિસીસીપીમાં બુધવારે યોજાયેલી એક નાની જાહેર સભામાં તેમણે કહ્યું હતું કે, ‘બાયબલમાં ઘણી સારી વાતો છે તેવું પણ બને કે તેથી આકર્ષાઈ તેઓ ખ્રિસ્તી ધર્મ અપનાવે પણ ખરાં પરંતુ જો ન અપનાવે તો શું થયું ?’ કશું નહીં, અમે બંને પોત પોતાના ધર્મોને અનુસરીએ છીએ તેથી મારે કોઈ પ્રોબ્લેબ ઉભો થતો નથી. તમારા મિત્રો પણ અન્ય ધર્મને અનુસરતા હોય છે, છતાં તમો તેની સાથે ઘણા સારા સંબંધો રાખો જ છો. ઉષાની બાબતમાં પણ તેમજ છે.
ઉલ્લેખનીય છે કે ઉષા વાન્સે તેઓના પતિ જે.ડી. વાન્સને માંસાહાર છોડાવી સંપૂર્ણ શાકાહારી બનાવ્યા છે.










