![]()
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત વઢવાણ જીઆઈડીસીમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર, મહિલા કોન્સ્ટેબલએ અંદાજે ૬૦ જેટલી મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. તેઓએ મહિલાઓને અભયમ મહિલા હેલ્પલાઇન અને કાર્યસ્થળ પર થતી સતામણીથી બચવા અંગેના જરૃરી પગલાઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી. આ ઉપરાંત, આત્મનિર્ભરતાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.










