– નેપાળમાં છાંગુરના માણસો અને આઇએસઆઇના એજન્ટો વચ્ચે બેઠક મળી હતી
– છાંગુર સાથે જમીનના કરોડોના સોદા કરાવ્યા પણ મને કંઇ જ ના મળ્યું, બધુ બાબા લઇ ગયો : મોહમ્મદ ખાન
લખનઉ: ઉત્તર પ્રદેશ એટીએસએ ગેરકાયદે ધર્માંતરણનું રેકેટ ચલાવવાના આરોપી છાંગુર બાબાની ધરપકડ કરી હતી, જોકે છાંગુર બાબાને લઇને દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ સાથે છાંગુર બાબાનું કનેક્શન સામે આવ્યું છે. આ ઉપરાંત દેશ વિરોધી કૃત્ય માટે છાંગુર ૧૦૦૦ મુસ્લિમ યુવકોની ફૌજ તૈયાર કરવાની ફિરાકમાં હતો. જેનો ઉપયોગ તે લવ જેહાદ માટે કરવા માગતો હતો.