Young Astrologer Abhigya Anand: થાઇલૅન્ડ અને મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 2300થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ભૂકંપ બાદ મ્યાનમારમાં કટોકટી લાદવામાં આવી છે. આ તમામ વચ્ચે એક ચોંકવાનારી માહિતી સામે આવી છે. આ ભયાનક ભૂકંપ વિશે 21 દિવસ પહેલાં જ ભારતના યુવા જ્યોતિષી અભિજ્ઞા આનંદે ભવિષ્યવાણી કરી હતી. આ પહેલીવાર નથી કે અભિજ્ઞાની ભવિષ્યવાણી સાચી પડી હોય, ભૂતકાળની અનેક મોટી ઘટનાઓ છે જેની આગાહી પણ સાચી પડી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.