gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા | pun…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in INDIA
0 0
0
1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા | pun…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Punjab Flood: પંજાબ હાલ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે પૂર આવતાં 43થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1.71 લાખ હેક્ટરમાં ફેલાયેલો પાક બરબાદ થયો છે. 23 જિલ્લાના 1902 ગામ  પાણીમાં ગરકાવ થયા છે. લગભગ 3,84,205 લોકો અસરગ્રસ્ત થયા છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધી 20,972 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.

પંજાબના  મમહેસૂલ, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી  હરદીપ સિંહ મુંડિયને જણાવ્યું કે, ભયાવહ પૂરના કારણે 23 જિલ્લાના કુલ 1902 ગામ પ્રભાવિત થયા છે. જેનાથી 3.84 લાખથી વધુ લોકોનું જીવન ખોરવાયુ છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધીમાં 20972 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 24 કલાકમાં વધુ છ લોકોના મોત થયા છે. આ સાથે 14 જિલ્લામાં મૃતકોની સંખ્યા વધી 43 થઈ છે.  

1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા 2 - image

14 જિલ્લામાં 43 લોકોના મોત

હોશિયારપુરમાં સાત, પઠાણકોટમાં છ, બરનાલા અને અમૃતસરમાં 5-5, લુધિયાણા અને બઠિંડામાં ચાર-ચાર, ગુરદાસપુર અને એસએએસ નગરમાં બે-બે, પટિયાલા, રૂપનગર, સંગરૂર, ફાઝિલ્કા, અને ફિરોઝપુરમાં 1-1ના મોત થયા છે. પઠાણકોટમાં ત્રણ લોકો ગુમ છે. પૂર સંબંધિત આંકડા 1 ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધીના છે. પંજાબમાં પૂરની તબાહીમાં ખેતરો તણાયા છે. 1.71 લાખ હેક્ટરમાં ઉભો પાક નષ્ટ થયો છે.  ગુરદાસપુર, અમૃતસર, ફાઝિલ્કા, કરૂરથલા, માનસામાં પાકને સૌથી વધુ નુકસાન થયુ છે.

1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા 3 - image

આ પણ વાંચોઃ ‘તું મને નથી ઓળખતી? એક્શન લઇશ’, અજિત પવાર અને મહિલા IPSની કથિત ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ

આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે કેન્દ્ર સરકારને પંજાબને મદદ કરવાની અપીલ કરી છે. કેજરીવાલે નિવેદન આપ્યું છે કે, કેન્દ્ર સરકારને અપીલ કરુ છું કે, તેઓ પંજાબમાં આવેલી આ કુદરતી આફતમાં થઈ શકે તેટલી મદદ કરે. 

1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા 4 - image

શિવરાજ સિંહે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી

ગઈકાલે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારો અમૃતસર, ગુરદાસપુર, અને કપૂરથલાની મુલાકાત લીધી હતી. પૂરપીડિતોને આશ્વાસન આપ્યું હતું કે, આ સંકટની પળમાં કેન્દ્ર સરકાર તેમની સાથે છે. બે કેન્દ્રીય ટુકડી આ પરિસ્થિતિનું આંકલન કરવા પંજાબની મુલાકાત કરી રહી છે. તે આંકલન કર્યા બાદ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપશે. તેમણે કહ્યું કે, સ્પષ્ટપણે નુકસાન દેખાઈ રહ્યું છે, પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયુ છે. ખેતરો ડૂબી ગયા છે. પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ અમૃતસર એરપોર્ટ પર શિવરાજ ચૌહાણને પૂરની સ્થિતિનો વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં જાનમાલ, પાક અને માળખાગત સુવિધાઓને થયેલા નુકસાનની માહિતી આપવામાં આવી હતી.

1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા 5 - image

કેજરીવાલે પણ પંજાબની મુલાકાત લીધી

AAP ના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પણ કપૂરથલાના સુલ્તાનપુર લોધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. કેન્દ્રને આ સંકટમાં પંજાબની મદદ કરવા અપીલ કરી હતી. તેમણે ચંદીગઢ સ્થિત પોતાના સત્તાવાર નિવાસ સ્થાન પર  રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પણ મુલાકાત કરી હતી. ભગવંત માન હાલ બીમારીથી પીડિત છે. તેમને તાવ આવી રહ્યો હોવાથી તે કેજરીવાલ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી શક્યા નહીં.

ગેઝેટેડ અધિકારી તૈનાત

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, પૂરગ્રસ્ત ગામમાં ગેઝેટેડ અધિકારીની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેથી પૂરપીડિત લોકોની સમસ્યા સરળતાથી વહીવટીતંત્ર સુધી પહોંચાડી શકાય. રાજ્ય સરકારે પૂરથી થયેલા નુકસાનનું આંકલન કરવા માટે ખાસ સર્વેક્ષણ કરવા આદેશ આપ્યો છે.

1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા 6 - image

ભાખડા બંધમાં 85,000 ક્યુસેક પાણી છોડાયું

રૂપનગરના ઉપાયુક્ત વરજિત સિંહ વાલિયાએ નંગલ અને આનંદપુર સાહિબના અનેક ગામો ખાલી કરાવ્યા છે. સતુલજ નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભાખડા બંધનું જળસ્તર સ્થિર છે. જેમાં ગઈકાલે 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. બંધનું જળસ્તર 1679 ફૂટ સુધી પહોંચ્યું છે. પાણીમાં 75000 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવે છે. પરંતુ હાલ તેમાં વધારો કરી 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.


1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા 7 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…
INDIA

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…

September 27, 2025
લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…
INDIA

લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

September 27, 2025
ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…
INDIA

ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…

September 27, 2025
Next Post
વડોદરા નજીકના અંગૂઠણ અને બીજા 10 ગામોમાં ઢાઢરના પાણી પ્રવેશ્યા, સંપર્ક કપાશે | Dhadhar river water e…

વડોદરા નજીકના અંગૂઠણ અને બીજા 10 ગામોમાં ઢાઢરના પાણી પ્રવેશ્યા, સંપર્ક કપાશે | Dhadhar river water e...

ગુજરાતની નદીઓમાં ઘોડાપૂર: સુરતમાં કીમ નદીનું પાણી ગામમાં ઘૂસ્યું, ઉકાઈ-નર્મદા ડેમમાંથી પણ પાણી છોડાય…

ગુજરાતની નદીઓમાં ઘોડાપૂર: સુરતમાં કીમ નદીનું પાણી ગામમાં ઘૂસ્યું, ઉકાઈ-નર્મદા ડેમમાંથી પણ પાણી છોડાય...

યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, યુદ્ધ સમાધાનનો માર્ગ નહીંઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત …

યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, યુદ્ધ સમાધાનનો માર્ગ નહીંઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુરોપના વર્ક પરમિટ વિઝાના બહાને સુરતના પાંચ યુવકો સાથે છેતરપિંડી | Five youths from Surat were cheat…

યુરોપના વર્ક પરમિટ વિઝાના બહાને સુરતના પાંચ યુવકો સાથે છેતરપિંડી | Five youths from Surat were cheat…

1 month ago
જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા | De…

જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા | De…

2 months ago
તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte…

તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte…

2 months ago
આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા | 336 houses in Ankalaw turned into ruins d…

આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા | 336 houses in Ankalaw turned into ruins d…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

યુરોપના વર્ક પરમિટ વિઝાના બહાને સુરતના પાંચ યુવકો સાથે છેતરપિંડી | Five youths from Surat were cheat…

યુરોપના વર્ક પરમિટ વિઝાના બહાને સુરતના પાંચ યુવકો સાથે છેતરપિંડી | Five youths from Surat were cheat…

1 month ago
જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા | De…

જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા | De…

2 months ago
તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte…

તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte…

2 months ago
આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા | 336 houses in Ankalaw turned into ruins d…

આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા | 336 houses in Ankalaw turned into ruins d…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News