gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિ…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Navratri 2025: એક તરફ જ્યાં મોબાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ સામે ગુજરાતની પ્રાચીન લોકનાટ્ય કલા ભવાઈ અસ્તાચળના આરે આવીને ઊભી છે, ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામના ગ્રામજનોએ આ કલાને તેના વિશુદ્ધ આધ્યાત્મિક સ્વરૂપમાં 125 વર્ષથી જીવંત રાખી છે. જ્યાં વ્યાવસાયિક દ્રષ્ટિએ જેમને ભવાઈ સાથે સંબંધ નથી એવા લીલાપુરના વડીલ કે યુવાનો ભક્તિ ભાવથી માતાજીની જાતર અંતર્ગત ભજવે છે ભવાઈના વેશ, આજે પણ ચાચર ચોક બની જાય છે માતાજીનું મંદિર. ઝાલાવાડ પંથકમાં આજે પણ લોકો કહે છે કે, “ભાઈ, નોરતાં-નવરાત્રિ તો લીલાપુરની જ.”

સિદ્ધપુરના અસાઇત ઠાકરની કલાનું સંવર્ધન

ઇ.સ. 1320 થી 1390ના ગાળાના ગણાતા ભવાઈના આદ્યપિતા અસાઇત ઠાકર રચિત 360 વેશોમાંથી આજે માંડ 40-50 વેશો બચ્યા છે. ત્યારે લીલાપુરના યુવાનો દ્વારા પાંચ-પાંચ પેઢીથી નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ (સાતમ, આઠમ અને નોમ) દરમિયાન રાત્રે દસ વાગ્યાથી પરોઢ સુધી પૌરાણિક, ઐતિહાસિક અને ભવાઈ વેશોની ભજવણી થાય છે.

નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરા 2 - image

આ ભવાઈની ખાસિયત એ છે કે તે પેટિયું રળવા માટે નહીં, પણ માત્ર માતાજીની ભક્તિ અને પરમ શક્તિની આરાધના માટે જ ભજવાય છે. અહીં ઈશ્વરના માતૃસ્વરૂપની પૂજા ભાવના પ્રમુખ છે.

માતાજીના સામૈયા વિના ન થાય શુભારંભ

લીલાપુરની ભવાઈની આધ્યાત્મિક ભૂમિકા અજોડ છે. ગ્રામજનોની દૃઢ માન્યતા મુજબ, ગામના ઔદિચ્ય બ્રાહ્મણો માતાજીનું સામૈયું ન કરે ત્યાં સુધી ભવાઈનો શુભારંભ થઈ શકતો નથી. સાયંકાળની આરતી બાદ વેદમંત્રોનું ગાન થાય છે અને પછી બહુચરાજીનો વેશ નગારા, ભૂંગળ અને ઝાંઝના વાજિંત્રોથી આવણું કરે છે. બહુચરાજીના વેશના પ્રત્યેક ગાવણાં વખતે પ્રેક્ષકો પગે લાગવા માટે પડાપડી કરે છે અને શ્રીફળ તથા પૈસાના વધામણાં કરે છે. આ દૃશ્યને કારણે લીલાપુરનો ચાચર ચોક ક્ષણભર માટે જાણે કે માતાજીનું મંદિર બની જાય છે.

નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરા 3 - image

વિરોધ વંટોળ વચ્ચે ટકી રહેલી પરંપરા

આજથી સવાસો વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રમાં લોકજીવન અત્યંત રૂઢિચુસ્ત હતું. તે સમયે આધ્યાત્મિક ભાવથી ભવાઈના સ્વાંગમાં સ્ત્રીપાઠ કરનાર બ્રાહ્મણોને નાતબહાર મૂકવામાં આવતા હતા. કન્યા ન મળવાના કારણે અનેક કલાકારોએ સંસારનો ત્યાગ કરવો પડ્યો હતો. આવા વિરોધના વંટોળ વચ્ચે પણ લીલાપુરના ભવાઈ રમનાર બ્રાહ્મણોએ ભિક્ષા માંગી, જાતે રસોઈ બનાવી, પરંતુ માતાજી પરની શ્રદ્ધા જાળવી રાખીને ભવાઈ રમવાનું ચાલુ રાખ્યું. આ અડગ શ્રદ્ધાને પરિણામે જ લીલાપુરની ભવાઈ આજપર્યંત 125 વર્ષ સુધી જીવંત રહી, જે સંસ્કૃતિ પ્રેમીઓ માટે એક અમૂલ્ય વારસો છે.

આ પણ વાંચો: જામનગરમાં વિજયા દશમીએ સિંધી સમાજ દ્વારા આયોજિત રાવણ દહનના પૂતળાને આખીર ઓપ આપવા તડામાર તૈયારી

નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરા 4 - image

અમૂલ્ય સાંસ્કૃતિક વારસો

લીલાપુરની નવરાત્રિનું પ્રભાવશાળી તત્ત્વ એ છે કે તેમણે આ ઉત્સવને કોઈ વિકૃતિ કે ખોટી ઝાકઝમાળથી અભડાવ્યા વિના તેના વિશુદ્ધ, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્વરૂપમાં સુરક્ષિત રાખ્યો છે. સંધ્યા સમયની જગદંબાની આરતી અને વૈદિક મંત્રોચ્ચારથી થતી પુષ્પાંજલિ જોનારને એવી અનુભૂતિ કરાવે છે કે જાણે આરાસુરની અંબા અહીં લીલાપુરમાં પ્રગટ થયાં છે.

નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરા 5 - imageનવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરા 6 - imageનવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરા 7 - imageનવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરા 8 - imageનવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરા 9 - imageનવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરા 10 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોમગાર્ડના જવાનની હાજરી પુરવાના બદલામાં કંપની કમાન્ડરે લાંચ માંગી | home guard officer demanded brib…
GUJARAT

હોમગાર્ડના જવાનની હાજરી પુરવાના બદલામાં કંપની કમાન્ડરે લાંચ માંગી | home guard officer demanded brib…

September 29, 2025
જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, પત્નીની ફરિયાદ બાદ પાંચની ધરપકડ | young man att…
GUJARAT

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, પત્નીની ફરિયાદ બાદ પાંચની ધરપકડ | young man att…

September 29, 2025
પ્રદૂષિત પાણી દૂર કરવા મુદ્દે નિર્દેશોનું પાલન ન કરવા બદલ GPCBને ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટીસ | Hig…
GUJARAT

પ્રદૂષિત પાણી દૂર કરવા મુદ્દે નિર્દેશોનું પાલન ન કરવા બદલ GPCBને ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટીસ | Hig…

September 29, 2025
Next Post
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્...

PM મોદીએ લખી જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના, ‘નારી શક્તિ’નો ઉલ્લેખ કર્યો | Modi Pens Forew…

PM મોદીએ લખી જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના, 'નારી શક્તિ'નો ઉલ્લેખ કર્યો | Modi Pens Forew...

મહીસાગર: વીરપુરમાં ગરબા રમવા ગયેલા દલિત મહિલા સાથે ભેદભાવ, 4 સામે ફરિયાદ, પોલીસ પર નામ દબાવવાનો આરોપ…

મહીસાગર: વીરપુરમાં ગરબા રમવા ગયેલા દલિત મહિલા સાથે ભેદભાવ, 4 સામે ફરિયાદ, પોલીસ પર નામ દબાવવાનો આરોપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા…

વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા…

5 months ago
ખાણીપીણીના વેપારીઓને ત્યાં ૩૭ સ્થળે કોર્પો.નું ચેકિંગ | Food and beverage traders to be checked by t…

ખાણીપીણીના વેપારીઓને ત્યાં ૩૭ સ્થળે કોર્પો.નું ચેકિંગ | Food and beverage traders to be checked by t…

2 weeks ago
બિહારમાં બ્રિજ પડી જવાની 300 ઘટના, સુપ્રીમે સરકારનો ઉધડો લીધો | 300 incidents of bridge collapse in …

બિહારમાં બ્રિજ પડી જવાની 300 ઘટના, સુપ્રીમે સરકારનો ઉધડો લીધો | 300 incidents of bridge collapse in …

6 months ago
‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો

‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા…

વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા…

5 months ago
ખાણીપીણીના વેપારીઓને ત્યાં ૩૭ સ્થળે કોર્પો.નું ચેકિંગ | Food and beverage traders to be checked by t…

ખાણીપીણીના વેપારીઓને ત્યાં ૩૭ સ્થળે કોર્પો.નું ચેકિંગ | Food and beverage traders to be checked by t…

2 weeks ago
બિહારમાં બ્રિજ પડી જવાની 300 ઘટના, સુપ્રીમે સરકારનો ઉધડો લીધો | 300 incidents of bridge collapse in …

બિહારમાં બ્રિજ પડી જવાની 300 ઘટના, સુપ્રીમે સરકારનો ઉધડો લીધો | 300 incidents of bridge collapse in …

6 months ago
‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો

‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News