10,000ની મંજૂરી સામે 25,000થી વધુ લોકો એકત્ર
ટીવીકેના પ્રમુખ વિજય અને પાર્ટીના ત્રણ અન્ય નેતાઓને દુર્ઘટના માટે જવાબદાર ઠેરવાયા
ચેન્નાઇ: તમિલનાડુના કરુરમાં ૨૭ સપ્ટેમ્બરની રાતે અભિનેતાથી નેતા બનેલા વિજયની ચૂંટણી રેલી દરમિયાન થયેલ ધક્કામુક્કીના કેસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ ધક્કામુક્કીમાં ૪૧ લોકોનાં મોત થયા હતાં અને ૮૦ લોકો ઘાયલ થયા હતાં.
એફઆઇઆરમાં ટીવીકે ચીફ વિજય અને તેમના પાર્ટીના ત્રણ અન્ય નેતાઓને આ દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.