Waqf Bill: વક્ફ બિલ આખરે સંસદના બંને ગૃહમાંથી પાસ થઈ ગયું છે. બિલ પાસ થયા બાદ NDAમાં નવા રાજકીય સમીકરણો બની રહ્યા છે. બધા રાજકીય પક્ષો સ્વીકારે છે કે, આ બિલ પાસ કરવું, તે પણ ત્યારે જ્યારે ત્રીજી વખત મોદી સરકાર ગૃહમાં એકલી બહુમતીથી વંચિત રહી છે અને બહુમતી માટે પોતાના સાથી પક્ષો પર નિર્ભર છે, તે ગઠબંધન રાજકારણની ગતિશીલતામાં એક મહત્ત્તવપૂર્ણ પરિવર્તન દર્શાવે છે.
તેનું કારણ એ છે કે, બિલ પાસ થવાથી લઘુમતી સમુદાયો સાથે સબંધિત મુદ્દાઓ પ્રત્યે સાથી પક્ષોની પ્રદર્શિત રાજકીય સંવેદનશીલતા પર પરંપરાગત ગઠબંધનની લીડ સમાપ્ત થઈ ગઈ છે. ભાજપના સાથી પક્ષો ખાસ કરીને ટીડીપી, JDU અને એલજેપી (રામવિલાસ) એ જ સાથી પક્ષો હતા જેમણે મુસ્લિમ ભાવનાઓ પ્રત્યે પોતાની સંવેદનશીલતાનો હવાલો આપીને ગઠબંધનના ભાજપના મુખ્ય વૈચારિક મુદ્દાઓને પડતાં મૂકીને વાજપેયી સરકારને એક સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ સુધી મર્યાદિત રહેવા માટે મજબૂર કરી હતી.