Jammu and Kashmir : જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાના જવાનોએ મોટી કાર્યવાહી કરી છે. 9 એપ્રિલથી ચાલી રહેલાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કિશ્તવાડમાં આજે શુક્રવારે (11 એપ્રિલ, 2025) સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી મુજબ, સેનાના જવાનોએ કિશ્તવાડમાં જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સમગ્ર મામલે આવતીકાલે શનિવારે (12 એપ્રિલ, 2025) ભારતીય સેનાના અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ માહિતી આપશે.