લોકસભા ચૂંટણી 2024 બાદથી ઈન્ડિયા ગઠબંધન વિખેરાયું નજરે પડ્યું હતું. દિલ્હીમાં થયેલી વિધાનસભા ચૂંટણી 2025માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. જો કે, રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે, 2027ની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન યથાવત્ રહેશે. તેમણે ભાર આપતા કહ્યું કે, 2027ની ચૂંટણી ઈન્ડિયા ગઠબંધનની સાથે લડીશું.
પ્રેસ કોન્ફરન્સમાં શું બોલ્યા અખિલેશ યાદવ?