Padma Awards 2025: ગણતંત્ર દિવસ(26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના એલાન બાદ આજે (28 એપ્રિલ) રાષ્ટ્રપતિ ભવનમાં પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા. પદ્મ પુરસ્કારોનું વિતરણ બે તબક્કામાં કરાશે. જેમાં આજે 71 વિભૂતિઓને સન્માનિત કરાઈ છે. જેમાં 4 પદ્મવિભૂષણ, 10 પદ્મવિભૂષણ અને 57 પદ્મશ્રી સામેલ છે. જ્યારે બાકીના 68 પદ્મ વિજેતાને બીજા તબક્કામાં આગામી મહિને સન્માનિત કરાશે.