નવી દિલ્હી,૫ મે,૨૦૨૫,સોમવાર
પહલગામમાં આતંકી હુમલો થયા પછી ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી અટકાવી દીધી હતી. સિંધુ નદીનું પાણી પાકિસ્તાન માટે જીવાદોરી સમાન છે પરંતુ પાણી લેવું અને લોહી વહેવડાવવું એ બંને એક સાથે બની શકશે નહી એવો સ્પષ્ટ મેસેજ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે. ૧૯૬૦માં ભારત અને પાકિસ્તાનમાંથી વહેતી નદીઓના પાણીની વહેંચણી થઇ હતી જેમાં સિંધુ,ઝેલમ અને ચિનાબ નદીના પાણીની ફાળવણી પાકિસ્તાન માટે થઇ હતી. જયારે રાવી, સતલજ અને બિયાસનું પાણી ભારતને મળે છે.