Defence Minister Rajnath Singh Addresses The Indian Army Soldiers at Srinagar : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કરીને 26 લોકોની નિર્દયતાથી હત્યા કર્યા બાદ ભારતીય સેનાએ વળતો જવાબ આપી પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અનેક ઠેકાણાને નષ્ટ કરી દીધા છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડી સીધો પાકિસ્તાનની છાતી પર વાર કર્યો છે, જેને આતંકવાદીઓ અને તેના આકા પાકિસ્તાન ક્યારે ભૂલી નહીં શકે. આ તમામ ઘટના ક્રમ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે વિશ્વભરને ચેતવીને કહ્યું છે કે, પાકિસ્તાન દુષ્ટ અને બેજવાબદાર દેશ છે, તેથી શું તેના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? આ સાથે તેમણે પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર નજર રાખવા આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી(IAEA)ને માંગ કરી છે.
પાકિસ્તાનના હાથમાં પરમાણુ હથિયારો સુરક્ષિત છે?