Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના ઈટાવામાં યાદવ કથાકાર સાથે દુર્વ્યવહાર થયા બાદ ‘અહીર રેજિમેન્ટ’ અને ‘યાદવ મહાસભા’ના લોકો સામસામે આવી ગયા છે. આ દરમિયાન મામલો શાંત પાડવા દાંદરપુર ગામમાં ગયેલી પોલીસ પર ટોળાએ પથ્થમારો કર્યો છે. ટોલાએ લાકડી, દંડા, ઈંટો, પથ્થરોથી પોલીસ વાહનોમાં તોડફોડ કરી છે. જવાબમાં પોલીસે હવામાન ફાયરિંગ કરતા ટોળું વિખેરાઈ ગયું છે. ગામમાં અશાંતિનો માહોલ ઉભો થયા બાદ પોલીસ કાફલો તહેનાત કરી દેવાયો છે.