Accident Icident In UP : યુપીના મુઝફ્ફરનગરમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગરથી કેદારનાથ કારથી જઈ રહેલા 5 મિત્રને મુઝફ્ફરનગરના છાપર વિસ્તારના રામપુર તિરાહા નજીક અકસ્મતા નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 4ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.