મુંબઈ : ફોકસકોનના ચેન્નાઈ તથા બેંગ્લુરુસ્થિત આઈફોન એકમોમાંથી ચીનના ૩૦૦ જેટલા એન્જિનિયરોના અચાનક પલાયનને ભારત સરકાર પોતાના ટેલેન્ટેડ કર્મચારીબળમાં વૈવિધ્યતા લાવવા એક પડકાર અને તક બન્ને તરીકે જોઈ રહી છે. સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે.
ફોકસકોનથી મધ્યમ સ્તરના ચાઈનીસ એન્જિનિયરો નીકળી જવાથી સ્થિતિ પડકારરૂપ છે પરંતુ તે અતિશય કપરી નથી એમ સરકાર માની રહી હોવાનું આધારભૂત સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ફોકસકોનના પ્લાન્ટસ અહીં છેલ્લા પાંચ વર્ષથી છે અને પૂરતા પ્રમાણમાં તાલીમ મળી ગઈ હોવાનું સરકાર માની રહી છે અને માટે બાકીના કર્મચારીઓ કામકાજ ચાલુ રાખશે એવી સરકારને અપેક્ષા છે.