Nitin Gadkari in Nagpur: કેન્દ્રીય વાહન વ્યવહાર અને માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ શનિવારે (5 જુલાઈ, 2025) ગરીબોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ધન કેટલાક અમીર લોકોના હાથમાં કેન્દ્રિત થઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, ધનના વિકેન્દ્રીકરણની જરૂરિયાત છે, જ્યાં તેમણે કૃષિ, ઉત્પાદન, કરવેરા અને માળખાગત વિકાસમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP) સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.