ચાર અવકાશ યાત્રીઓ આજે આઈએસએસ પરથી રવાના થશે
શુભાંશુ શુક્લાએ આમ રસ અને ગાજરના હલવાનો સ્વાદ માણ્યો, કન્ડેન્સ્ડ મિલ્ક અને અખરોટમાંથી બનાવેલી કેક પણ પીરસાયાં
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ૧૮ દિવસ સુધી વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા પછી ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા, એક્સિઓમ-૪ મિશનના અન્ય ત્રણ અવકાયાત્રીઓ માટે આઈએસએસ પરથી વિદાયનો સમય થઈ ગયો છે. તેઓ પૃથ્વી પર પાછા ફરવા માટે સોમવારે અવકાશ મથક પરથી રવાના થશે. તેઓ ૧૫ જુલાઈને મંગળવારે બપોરે ૩.૦૦ કલાકે કેલિફોર્નિયા પહોંચે તેવી શક્યતા છે.