Mallikarjun kharge Targets PM Modi: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કર્ણાટકના મૈસુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મણિપુરમાં થયેલી હિંસા પર પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘વડાપ્રધાને 42 દેશોની મુલાકાત કરી ચૂક્યા છે, પરંતુ એક પણ વખત મણિપુરની મુલાકાત લીધી નથી.’ મણિપુરમાં એક વર્ષ કરતાં પણ વધુ સમયથી જાતીય હિંસા અને અસ્થિરતા ચાલી રહી છે, જેના પર કેન્દ્ર સરકારની ભૂમિકા પર વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહ્યું છે.
આ પણ વાંચો : બે સગા ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હિમાચલ પ્રદેશની પરંપરાની દેશભરમાં ચર્ચા
મણિપુર હિંસા પર પીએમ મોદી પર આકરા પ્રહારો