Tirupati Temple : વિશ્વ પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ મંદિરમાં શ્રદ્ધાળુઓએ દાનની નવી મિસાલ કાયમ કરી છે. તાજેતરમાં એક અજાણ્યા ભક્તે મંદિરને 140 કરોડ રૂપિયાની કિંમતનું 121 કિલો સોનું દાન કર્યું છે. આ ભક્તે પોતાની શ્રદ્ધા અનુસાર જે રીતે અઢળક સંપત્તિનું દાન કર્યું છે, તેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ માહિતી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એક જાહેર કાર્યક્રમમાં આપી હતી.
વ્યવસાયમાં સફળતા મળતા ભક્તે સોનું દાન કર્યું