Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) રસ્તા પર નમાજ અદા કરવા વિરુદ્ધ મુસ્લિમોને ચેતવણી આપનાર વહીવટીતંત્રનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, રસ્તાઓ ટ્રાફિક માટે હોય છે. તેમણે મુસ્લિમોને એવું પણ કહ્યું કે, તેઓ ધાર્મિક શિસ્તતા હિન્દુઓ પાસેથી શીખે. હિન્દુઓ મહાકુંભમાં જોડાયા, પરંતુ આ દરમિયાન ગુના, તોડફોડ અથવા પજવણીની એકપણ ઘટના બની નથી.
‘રસ્તાઓ ચાલવા માટે હોય છે’