India-Bangladesh: બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે ભારતના ચિકન નેક કોરિડોરને લઈને નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો છે. હાલમાં જ ચીનની મુલાકાત દરમિયાન યૂનુસે ભારતના પૂર્વોત્તર રાજ્યોને લઈને ટિપ્પણી કરી હતી, જેનાથી ભારત નારાજ છે. મોહમ્મદ યૂનુસે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશ ભારતના પૂર્વોત્તર રાજ્યો માટે હિન્દ મહાસાગરનું એકમાત્ર રક્ષક છે. મોહમ્મદ યૂનુસે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને ચારે બાજુથી લેન્ડલોક કહ્યા હતા.’ જેથી આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ સરમાએ યૂનુસના નિવેદનની સખત નિંદા કરી અને ભારત માટે એક નક્કર વ્યૂહરચના સૂચવી, જેથી ચિકન નેક પરની નિર્ભરતા ઓછી થઈ શકે.