India vs Pakistan Asia Cup 2025 Match: જમ્મુ- કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ક્રિકેટનો વિરોધ કર્યો છે. શુભમની પત્ની એશાન્યા દ્વિવેદી,તેમના પિતા સંજય દ્વિવેદી અને તેમના સમગ્ર પરિવારે BCCI મા આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. એશાન્યાએ કહ્યું, ‘હું નથી સમજી શકતી. હું લોકોને તેનો બહિષ્કાર કરવાની વિનંતી કરું છું. તેને જોવા ન જાઓ અને તેના માટે તમારુ ટીવી પણ ચાલુ ન કરો.’