Aurangzeb Controversy: મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરને લઈને છેલ્લા અમુક દિવસોથી માહોલ ગરમાયો છે. નાગપુરમાં હિંસક અથડામણ પણ થઈ. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ)એ રાજ્ય સરકાર પાસેથી ઔરંગઝેબની મજારને પાડવાની માગ કરી હતી. આ જૂથોએ ચેતવણી આપી હતી કે જો શિવ જ્યંતી સુધી મજારને પાડવામાં ન આવી તો તે પોતે મામલાને હાથમાં લેશે. પક્ષ-વિપક્ષમાં આ મુદ્દાને લઈને આકરી ચર્ચા થઈ રહી છે પરંતુ આ સૌની વચ્ચે હિન્દુ ધાર્મિક સ્થળોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.