Suhas Shetty Murder Case : કર્ણાટકમાં એક હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ દક્ષિણ કન્નડ જિલ્લામાં ભારે સ્થિતી વણસી ગઈ છે. અહીં અનેક બસોમાં પથ્થમારો તો કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ બંધની જાહેરાત કરતાં અહીં મોટાભાગના જિલ્લાઓમાં બંધની અસર જોવા મળી છે. જિલ્લા વહિવટીતંત્રએ સ્થિતિ પર કાબુ મેળવવા માટે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધના આદેશ જાહેર કર્યા છે. અધિકારીઓએ કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં ટોળા દ્વારા કેટલીક બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.