Andhra Pradesh News : મેઘાલયના રાજા રઘુવંશી હત્યા કેસ જેવી જ એક ઘટના આંધ્ર પ્રદેશમાં સામે આવી છે. જેમાં આંધ્ર પ્રદેશની નહેરમાંથી એક શખ્સનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આદરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, શખ્સની હત્યા તેની પત્ની અને પત્ની પ્રેમીએ સાથે મળીને કરી હતી. સમગ્ર મામલે પોલીસે મૃતક તેજેશ્વરની પત્ની એશ્વર્યા, તેના પ્રેમી તિરુમલ રાવ સહિતના લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પત્નીએ પતિની હત્યા કરવા માટે માણસો રાખ્યા