BJP Tiranga Yatra : ભારતીય સેનાની ત્રણેય પાંખોએ ઓપરેશન સિંદૂર પાર પાડી આતંકવાદ અને પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે, જેની દેશભરમાં સરાહના થઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી દેશભરના નાગરિકો સૂધી પહોંચાડવા માટે આવતીકાલ 13 મેથી 23 મે સુધી તિરંગા યાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ અભિયાન દ્વારા ભાજપ જનતાને જણાવશે કે, કેવી રીતે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ તેના નાગરિકોને સંકટમાંથી બચાવ્યા અને રાષ્ટ્રીય ગૌરવને મજબૂત કર્યું. આ યાત્રાના સંકલનની જવાબદારી સંબિત પાત્રા, વિનોદ તાવડે અને તરુણ ચુઘ જેવા વરિષ્ઠ પક્ષના નેતાઓને સોંપવામાં આવી છે.